Related Posts
Nepal Communal Violence: નેપાળના સુનસરી જિલ્લાના કપ્તાનગંજ વિસ્તારમાં બે સમુદાયો વચ્ચે થયેલી હિંસક ઝડપ અન્ય વિસ્તારોમાં ફેલાતી અટકાવવા માટે તંત્રએ મોટો નિર્ણય લીધો છે. પરિસ્થિતિ ગંભીર બનતાં સિરાહામાં ગુરુવારે બપોરે 2 વાગ્યાથી અનિશ્ચિત મુદતનો કરફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે સુનસરી અને સિરાહા બંને જિલ્લાઓ ભારતના બિહાર રાજ્યની સરહદને અડીને આવેલા છે. સિરાહાના મુખ્ય જિલ્લા અધિકારી સુરેન્દ્ર પૌડેલે સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ આદેશ આપ્યો છે.
કેવી રીતે શરૂ થયો આ વિવાદ?
ઘટનાની વિગત મુજબ, 26 જુલાઈના રોજ એક સમુદાયના લોકો પવિત્ર જળ લઈને યાત્રા કાઢી રહ્યા હતા.