જેમાં લોકો પૂછે છે કે બાટલો ક્યાંથી મળશે, નવો બાટલો લેવા ક્યાં જવું? બુકિંગ છતાં ડિલિવરી કેમ નથી મળતી, ક્યારે બાટલો ક્યાંથી બૂક થાય અને કેટલાક દિવસે થાય વગેરે જેવા પ્રશ્નો આવે છે. જો કે હાલ ભાજપ હોય કે કોંગ્રેસ દરેક પક્ષના નેતાઓ તો ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે અને પ્રજાના પ્રશ્નો સાંભળનાર કોઈ નથી ત્યારે પ્રજાએ પણ પોતાના પ્રશ્નો માટે આ રીતે અન્ય માર્ગ અપનાવવો પડે છે. આ ઉપરાંત વખતની ચૂંટણીમાં તંત્ર માટે પણ મુશ્કેલી છે કારણકે ચૂંટણીની તૈયારીઓ ટૂંકા ગાળામાં કરવાની છે અને બીજી બાજુ પ્રજા લક્ષી પ્રશ્નો પણ ઉકેલવાના છે.