કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2026 સુધી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો, જાણો કેમ લીધો નિર્ણય

By: Nation Gujarat Team
14 May, 2026

Sugar Export Ban : કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ખાંડના ભાવ પર નિયંત્રણ મેળવવા અને સ્થાનિક પુરવઠો જાળવી રાખવા માટે ખાંડના નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા બુધવારે ખાંડના નિકાસ અંગે એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં ખાંડના વધતા ભાવને અંકુશમાં લેવા અને સ્થાનિક બજારમાં પર્યાપ્ત માત્રામાં ખાંડ ઉપલબ્ધ રહે તે હેતુથી સરકારે ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે.

સપ્ટેમ્બર 2026 સુધી પ્રતિબંધ

સરકારના આ આદેશ મુજબ, કાચી (Raw), સફેદ અને રિફાઇન્ડ ખાંડના નિકાસ પર સપ્ટેમ્બર 2026 સુધી રોક લગાવવામાં આવી છે. વધુમાં, આ પ્રતિબંધના સમયગાળાને પરિસ્થિતિ મુજબ ભવિષ્યમાં વધુ લંબાવવાની શક્યતા પણ સરકારે ખુલ્લી રાખી છે.

નિર્ણય પાછળનું મુખ્ય કારણ

છેલ્લા કેટલાક સમયથી દેશમાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાંડ એ સામાન્ય માણસના રસોડાની અનિવાર્ય વસ્તુ હોવાથી, તેના ભાવ આસમાને ન પહોંચે તે માટે સરકારે અગમચેતીના ભાગરૂપે આ પગલું ભર્યું છે. નિકાસ પર રોક લાગવાને કારણે હવે દેશમાં ઉત્પાદિત થતી ખાંડનો મોટો જથ્થો સ્થાનિક બજારોમાં જ રહેશે, જેનાથી ગ્રાહકોને વ્યાજબી ભાવે ખાંડ મળી રહેશે.


Related Posts

Load more