ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીની હવાઈ હુમલામાં હત્યા કરવામાં આવી છે. તેમના પુત્ર, મોજતબા ખામેનીની દેશના નવા સર્વોચ્ચ નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે. રાજ્ય મીડિયા અનુસાર, 28 ફેબ્રુઆરીના રોજ તેહરાનમાં થયેલા હવાઈ હુમલામાં અલી ખામેનીની ઓફિસને નિશાન બનાવવામાં આવી હતી, જેમાં 86 વર્ષીય ખામેનીની હત્યા કરવામાં આવી હતી. સરકારે જણાવ્યું છે કે આ હુમલો ખાસ કરીને સરકારી લક્ષ્યોને લક્ષ્યમાં રાખીને કરવામાં આવ્યો હતો.
આ ઘટના બાદ, ઈરાને 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે, સાથે સાથે સાત દિવસની જાહેર રજા પણ જાહેર કરી છે. દેશભરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે, મુખ્ય શહેરોમાં અને સરકારી ઇમારતોની બહાર વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
મોજતબા ખામેનીનો જન્મ ૧૯૬૯માં મશહદ શહેરમાં થયો હતો. તેમણે ધાર્મિક શિક્ષણ મેળવ્યું હતું. તેમણે ઈરાન-ઈરાક યુદ્ધના અંતિમ તબક્કા દરમિયાન રિવોલ્યુશનરી ગાર્ડમાં પણ સેવા આપી હતી. તેમને લાંબા સમયથી તેમના પિતાની નજીક માનવામાં આવતા હતા અને ઘણા મોટા નિર્ણયોમાં તેમણે પડદા પાછળની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે.