ગરમીમાં આંશિક રાહત બાદ ફરી ઉછાળો
હાલમાં અમદાવાદ અને ગાંધીનગર સહિતના શહેરોમાં તાપમાન 35 ડિગ્રીની આસપાસ સામાન્ય નોંધાઈ રહ્યું છે. વરસાદી માહોલને કારણે આગામી બે દિવસ ગરમીમાં બહુ મોટો વધારો નહીં થાય, પરંતુ જેવી આ વરસાદી સિસ્ટમ પસાર થશે કે તરત જ એટલે કે 8 એપ્રિલથી ગરમીનો પારો ફરીથી ઉંચકાય તેવી શક્યતા છે. એપ્રિલના બીજા સપ્તાહથી લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે.
વારંવાર બદલાતા હવામાન અને કમોસમી વરસાદની આગાહીને પગલે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. તૈયાર થયેલા પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પણ તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે.