વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે

By: nationgujarat
26 Sep, 2023

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે. બે દિવસમાં વડાપ્રધાન ગુજરાતને 5,206 કરોડના વિકાસકાર્યોની ભેટ આપવાના છે. જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ છે. આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે.અમદાવાદ એરપોર્ટ પર PM મોદીનું મહિલા અનામત બિલ પાસ થતા મહિલાઓ દ્વારા અભિવાદન કરાશે.

અમદાવાદમાં સાયન્સ સિટીમાં કાર્યક્રમ

અમદાવાદ એરપોર્ટ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર જવા રવાના થશે. જ્યાં તેઓ રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે. જે પછી વડાપ્રધાન 27 સપ્ટેમ્બરે અમદાવાદ સાયન્સ સિટીમાં કાર્યક્રમમાં હાજરી આપશે.વાયબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષની ઉજવણી કાર્યક્રમમાં હાજરી આપશે.

વડોદરાના કાર્યક્રમમાં આપશે હાજરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે વડોદરા ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. જેને લઈને તડામાર તૈયારીઓ કરાઈ છે. નવલખી ગ્રાઉન્ડ ખાતે ઉચ્ચ અધિકારીઓએ તૈયારીઓ અંગે સમીક્ષા કરી હતી. SPGના સિનિયર અધિકારી, જિલ્લા કલેકટર સહિતના અધિકરીઓએ સ્થળ સમીક્ષા કરી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોડેલીથી સીધા હેલિકોપ્ટર દ્વારા નવલખીના હેલિપેડ પર ઉતરાણ કરશે. PM મોદી બહેનોની વચ્ચેથી સ્ટેજ પર પહોંચશે, ત્યારે કાર્યક્રમમાં 75 હજારથી 1 લાખ બહેનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. જેમાં વડોદરા, આણંદ અને ખેડા જિલ્લાની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

છોટા ઉદેપુરમાં કરોડો રુપિયાના વિકાસકામોનું લોકાર્પણ

આ મુલાકાત દરમિયાન PM છોટાઉદેપુર જિલ્લા ખાતે 5206 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ગુજરાતમાં શિક્ષણનું સ્તર વધુને વધુ ઉંચુ લાવવા માટે પ્રસાસ કરી રહ્યું છે, ત્યારે વડાપ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 4505 કરોડ રૂપિયાના વિવિધ શૈક્ષણિક વિકાસકાર્યોની ભેટ આપશે. આ ઉપરાંત વડાપ્રધાન માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે અને વડોદરામાં કાર્યક્રમમાં હાજરી આપશે.


Related Posts

Load more