લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ:બિલ પાસ થયા બાદ લોકસભામાં 181 મહિલા સાંસદ હશે

By: nationgujarat
19 Sep, 2023

આજે ગણેશ ચતુર્થીના દિવસે 19 સપ્ટેમ્બરમા રોજ સરકારે નવી સંસદમાં બપોરે 2:12 વાગ્યે મહિલા અનામત બિલ રજૂ કર્યું હતું. કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે કહ્યું કે અમે ઐતિહાસિક બિલ રજુ કર્યું છે. હાલમાં લોકસભામાં 82 મહિલા સાંસદ છે, આ બિલ પાસ થયા બાદ 181 મહિલા સાંસદ હશે.

કોંગ્રેસે મહિલા અનામતના મુદ્દે શ્રેય લેવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીના નિવેદન પર હોબાળો થયો હતો. તેમણે કહ્યું કે આ બિલ મનમોહન સિંહના કાર્યકાળમાં લાવવામાં આવ્યું હતું. આ બિલ હજુ પણ અસ્તિત્વમાં છે. તેના પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અમે નવું બિલ લાવ્યા છીએ. તમે કૃપા કરીને માહિતીમાં સુધારો કરો.

આ પછી બિલની કોપી મામલે વિપક્ષના સાંસદોએ હોબાળો મચાવ્યો હતો. તેઓએ કહ્યું કે તેમને બિલની કોપી મળી નથી. સરકારે કહ્યું કે બિલ અપલોડ કરવામાં આવ્યું છે.

નવી સંસદમાં લોકસભાની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. લોકસભામાં મહિલા અનામત બિલ રજુ કરવામાં આવ્યું છે. નવી સંસદમાં પોતાના પ્રથમ સંબોધનમાં મોદીએ કહ્યું, ‘પ્રથમ સત્ર માટે દરેકને શુભકામનાઓ. ભારત માટે આ ગર્વની ક્ષણ છે. ભવન બદલાયું છે, ભાવ અને ભાવનાઓ પણ બદલવી જોઈએ.

સંસદમાં મહિલા અનામત બિલ રજૂ
મહિલા અનામત બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે આ બિલ સંસદમાં રજૂ કર્યું હતું. આ પહેલા પીએમ મોદીએ તમામ પક્ષોને આ બિલને સમર્થન આપવાની અપીલ કરી હતી. જ્યારે કેન્દ્રીય મંત્રીએ આ બિલ રજૂ કર્યું ત્યારે સંસદમાં ભારે હોબાળો થયો હતો.

લોકસભા-વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામત
મહિલા અનામત બિલ હેઠળ વિધાનસભાની 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. આ ઉપરાંત મહિલાઓને લોકસભામાં પણ 33 ટકા અનામત મળશે. એટલે કે 181 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. તેમજ દિલ્હી વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનામત મળશે.

નવી સંસદમાં પહેલા જ દિવસે હોબાળો
સંસદમાં બોલતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે હિંદુત્વની ચર્ચા તો થાય છે, શું આપણે ‘હિંદીત્વ’ પર આવી જઈશું? તેમના ભાષણ દરમિયાન સોસદમાં હોબાળો થયો હતો. હોબાળો થતા સ્પીકર ઓમ બિરલા સહિત ઘણા સભ્યો અધીર રંજનને બેસી જવાની માંગ કરી રહ્યા હતા, પરંતુ અધીર રંજન ચૌધરી તેમના વિચારો રજૂ કરતા રહ્યા. આ દરમિયાન ગૃહમાં નારેબાજી શરૂ થઈ ગઈ હતી. આ દરમિયાન સ્પીકર ઓમ બિરલા અધીર રંજનને તેમન વાત પુર્ણ કરવાનું કહેતા રહ્યા. ઓમ બિરલાએ કહ્યું કે આજનો દિવસ મહિલા અનામતનો દિવસ છે. તેથી બીજી વાતો પછી કહેજો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનમાંથી તેમના પ્રથમ સંબોધનમાં કહ્યું હતું કે નવા સંકલ્પ સાથે ભારત આગળ વધી રહ્યું છે. વિજ્ઞાનની દુનિયામાં ચંદ્રયાન-3ની સફળતા દરેક દેશવાસીને ગર્વથી ભરી દે છે. ભારતના નેતૃત્વમાં G-20નું ગૌરવપૂર્ણ સંગઠન એ ભારત માટે ગર્વની ક્ષણ છે. મોદીએ કહ્યું, ભૂતકાળની કડવાશ ભૂલીને આગળ વધીએ.


Related Posts

Load more