Navratri 2023 – પાંચમાં નોરતે અરૂણ રાજ્યગુરુએ ખેલૈયાઓને ગરબે ઘુમાવ્યા

By: nationgujarat
20 Oct, 2023

નવલી નવરાત્રી નો પર્વ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતમાં જેમ જેમ દિવસો પસાર થતા જાય છે તેમ તેમ ખેલૈયાઓની સંખ્યા પણ વધતી જાય છે. અમદાવાદ શહેરમાં આશરે 50 થી વધુ પાર્ટી પ્લોટમાં આયોજન થઇ રહ્યુ છે આ વખતે ફરી પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓનું ટ્રેડિગ જોવા મળી રહ્યુ છે શહેરમાં ફલેટમાં રહેતા ઘણા યુવા ખેલૈયાઓ આ વખતે પાર્ટી પ્લોટમાં જવાનું પસંદ કરી રહ્યા છે. ગઇકાલે પાંચમાં નોરતે અમદાવાદ ફિલ્મ સિટી દાંડિયા ધમાલ 2023માં ખેલૈયાઓએ મન મુકિને ગરબે ઘુમ્યા હતા.

અરૂણ રાજયગુરુએ ખેલૈયાઓને ગરબે રમાડયા

પાંચમાં નોરતે અમદાવાદ ફિલ્મસીટી દાંડિયા ધમાલમાં અરૂણ રાજયગુરુએ ખેલૈયાઓને પારંપારીક ગીતો સાથે ગરબે ઘુમાવ્યા હતા. પાંચમાં દિવસે  મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટયા હતા. અમદાવાદના વૈષ્ણદેવી ઉમિયા ફાર્મ ખાતે ગરબાનુ આયોજન કરવામાં આવ્યું હોવાથી ગાંઘીનગર અને  અમદાવાદ પશ્ચિમ વિસ્તારના યુવાનો મોટી સંખ્યામાં ગરબા રમવા આવે છે.

ઇવેન્ટના આયજકોએ ખેલૈયાઓ માટે કરી છે સારી વ્યવસ્થા.

આ ઇવેન્ટને Siddhi Vinayak Events & Holidays તેમજ M Zone World Event અને yorami દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ પાર્કિગ સુવિધો, તો સારા ફુડ અને કોલ્ડ્રિકસની પણ ત્યા વ્યવસ્થા કરવામાં આવી છે. નવરાત્રીના  ચાર દિવસ બાકી છે ત્યારે તમારા પરિવારજનો કે ગ્રુપ સાથે જવા તમારા પાસ ઓનલાઇ BOOK MY SHOW માથી બુક કરાવી ગરબા રમવાચોક્કસ જજો.

 


Related Posts

Load more