Exclusive – મોદી સરકારમાં સરકારી બેકોનો નફો વધ્યો જાણો કઇ બેંકનો કેટલા નફો વધ્યો

By: nationgujarat
19 Aug, 2023

મળતા સમાચાર પ્રમાણે આજે દેશની સરકારી બેંકોનો નફો વધતો ગયો છે. વર્ષ 2014માં જયારે મોદીએ સત્તા સંભાળી ત્યારે સરકાર બેંકોની ચર્ચા હજારો કરોડના નુકશાનની થતી.ભારે ભરખમ એનપીએમ માટે થતી.પાછલા નવ વર્ષમાં મોદી સરકારે સરકારી બેકોની કાયા પલટ કરી  અને બેંકો ના સારા દિવસ આવ્યા છે એક બાજુ ચિન અમેરિકામાં બેકો બંધ થઇ રહી છે અને ભારતની સરકારી બેંકો નફો કરે છે.

સરકારી બેંક નો પ્રોફિટ 2013-14માં યુપીએની સરકરા હતી તે સમયે 36270 કરોડ રૂપિયા નફો હતો. વર્ષ 2022-23માં સરકારી બેકોનો નફો 1 લાખ 4 હજાર કરોડ રૂપિયા પહોંચ્યો છે. નવ વર્ષમાં સરકારી બેકોનો નફો ત્રણ ગણો વધ્યો છે. જે બેકો સતત નુકશાનના કારણે સરકાર માટે માથાનો દુખાવો બની ગઇ હતી તે આજે કમાણી કરતી થઇ ગઇ છે. વિપક્ષ જે બેંકને લઇ એમ કહેતી હતી કે સરકાર આ બેકને લુટી રહી છે આજે એસબીઆઇ સૌથી વધુ નફો કરી રહી છે.  ફેબ્રુઆરીમાં કોગ્રેસે દેશભરમાં એસબીઆઇ બચાવવાના નામે પર પ્રદર્શન કર્યુ  પરંતુ પાછલા દિવસોમાં એસબીઆઇ સ્ટોક એક્સચેન્જ ફાઇલીગમાં હાલના નાણાકીય વર્ષની માહિતી આપી જેમાં 178 ટકા નફો થયો છે. આજે એસબીઆઇ દેશની સૌથી વધુ ફાયદા કરવાવાળી કંપની બની ગઇ છે. એસબીઆઇના વ્યાજથી થતી આવકમાં 25 ટકા નો વઘારો થયો છે. નફો કરવામાં એસબીઆઇએ રિલાયન્સ ને પાછળ મુકી દીધી છે. એસબીઆઇ નો નફો રિલાઇન્સ ઇન્ડસ્ટ્રી કરતા 15.8 ટકા વધારે છે.

વાત માત્ર એસબીઆઇની નથી…. પીએનબી વાત કરીએ તો નફામાં 307 ટકા વધારો થયો છે. બેંક ઓફ બરોડા 88 ટકા વધ્યો છે. કેનેરા બેંક 75 ટકા વધી ગયો છે આમ કુલ સરકારી બેંકનો નફો જોડી દઇએ તો આંકડો 35 હજાર કરોડ પહોંચી ગયો છે. યુપીએના સમયમાં એક વર્ષમાં 36 હજાર કરોડનો નફો થતો હતો હાલ એક તીમાહીમાં થઇ રહ્યો છે આટલો નફો.

વર્ષ 2014 પહેલા સરકારી બેંકો તેમનું અસ્તિત્વ બચાવવા માટ ઝઝુમી રહ્યુ હતું.2013-14માં સરકારી બેકોના નફામાં 27 ટકાનો ઘટાડો થયો હતો. યુપીએ સરકારમાં સરકારી બેકોનો નફો જે બતાવવામાં આવતો હતો તે તીગડમ હતો બેકો ના નુકાશ 2 લાખ કરોડનું હતું કારણ કે એનપીએને બતાવવામાં આવ્યું ન હતું.  એનપીએનું મોટુ કારણ હતું બેડ લોન . બેકનો ખરાબ હાલાત ને કારણે મોદીએ યુપીએ સરકારના સમયેમાં થયેલા ફોન બેંકિંગ ઘોટાળાને જવાબદાર ગળ્યુ હતું.

મોદીએ 22 જુલાઅએ સરકારી બેકોમાં થયેલા ગોટાળા અંગે શું કહ્યુ હતું તેના અંશ

આજે ડિજિટલ યુગ છે.. મોબાઇલ ફોનથી બેંકિંગ સેવાનો લાભ લે છે ..પરંતુ આજથી 9 વર્ષ પહેલા જો સરકાર હતી તે ફોન બેંકિગની કલ્પના જ અલગ કરતી તે સમયે એક ખાસ પરિવારના નજીકવાળા નેતા બેંકોને ફોન કરીને તેમના મળતીયાઓને હજારો કરોડ રૂપિયાની લોન અપવી દેતા હતા આ લોન કયારેય ચુકકવાામાં આવતી ન હતી. અને કાગળ કાર્યવાહીમાં એક લોનને ચુકવવા માટે બીજી બેકથી લોન લેવામાં આવતી. આ ફોન બેકિંગ ભ્રષ્ટાચાર પહેલની સરકારના સૌથી મોટા ભ્રષ્ટાચારમાનો એક છે. આના કારણે દેશની બેંકિગ વ્યવસ્થા કમર તુટી ગઇ

વર્ષ 2015માં મોદી સરકારે આરબીઆઇ ના એક્યુઆર એટલે કે એસેટસ ક્વોલીટી રીવ્યુ કરવામાં આવ્યો ….તેમાં ખુલાસો થયો કે સરકારી બેકોમાં મોટા પાયે એનપીએ થયેલુ છે. એનપીએ એ દેવુ છે જેને લાબા સમયસુધી ચુકવવામાં આવતું નથી અને બેકની આર્થિક વ્યવસ્થા બગાડે છે. મોદી સરકારે બેકોની એનપીએ માટે તપાસ કરવાની સુચના આપી … 2015માં એનપીએ ની ટકાવારી 5 ટકા હતી તે2018 આવતા આવતા અંદાજે 15 ટકા સુધી પહોંચી ગયો. આના કારણે સરકારી બેકોના નફમાં ઘટાડો આવ્યો. 11 બેકને આરબીઆઇના પીસીએ ફ્રેમવર્કમાં દાખલ કરવામાં આવી

મોદી સરકારે સરકારી બેકોની સ્થિતિ સુધારવા 4 આર નો ફોર્મ્યુલા યુઝ કર્યો …પહેલો આર – રેકોગ્નાઇઝ એનપીએ ટ્રાન્સફરન્સી … બીજો આર – રિઝોલ્યુશન એન્ડ રિકવરી … ત્રીજો આર… રિકેપીટાલઇઝ પીએસબીએસ,  એનપીએ રિકવરીમાં વધારો  પાછલા નવ વર્ષમાં 10 લાખ કરોડથી વધારાની રિકવરી ચોથો આર – રિફોર્મ ઇન ધ ફાઇનાન્શ્યલ ઇકોસિસ્ટમ

એસબીઆઇ 2017-18માં 6547 કરોડના નુકશામા હતી 2022-23માં 31,676  કરોડના નફામાં છે. બેકો ઓફ બરોડામાં 2017-18માં 2432 કરોડ કા નુકાશનમા  હતી આજે 2022-23માં 7272 કરોડના નફામા છે.  કેનેરા બેક 2017-18માં 4222 કરોડના નુકશાનમાં હતી જે આજે 2022-23માં 5678 કરોડના નફામા  છે.

 


Related Posts

Load more