Indira Ekadashi 2022: ઈન્દિરા એકાદશીનું વ્રત ખૂબ જ વિશેષ છે , જાણીલો તારીખ

By: nationgujarat
08 Oct, 2023

હિન્દુ ધર્મમાં એકાદશીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. એકાદશી દર મહિનામાં બે વાર આવે છે. ભાદરવા મહિનાના વદ પક્ષમાં આવતી એકાદશીને ઈન્દિરા એકાદશી કહે છે. આ એકમાત્ર એકાદશી છે જે પિતૃ પક્ષમાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ એકાદશીનું વ્રત કરવાથી પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કરવા જેવું જ ફળ મળે છે. તેથી, અન્ય એકાદશી વ્રતની સરખામણીમાં ઈન્દિરા એકાદશીનું વ્રત ખૂબ જ વિશેષ બને છે. જેઓ પિતૃપક્ષમાં પિતૃઓનું શ્રાદ્ધ કોઈપણ કારણથી કરી શકતા નથી તેમણે ઇન્દિરા એકાદશીનું વ્રત અવશ્ય રાખવું.

ઈન્દિરા એકાદશીનો ઉપવાસ ક્યારે રાખવો ?

ઈન્દિરા એકાદશી વ્રત દર વર્ષે ભાદરવા મહિનાની વદ એકાદશી તિથિએ રાખવામાં આવે છે. આ વખતે આ ઉપવાસ 21 સપ્ટેમ્બર 2022ના રોજ રાખવામાં આવશે. એકાદશી વ્રત દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.

હિંદુ કેલેન્ડર મુજબ, ભાદરવા વદ એકાદશી તિથિ 20 સપ્ટેમ્બર, મંગળવારના રોજ રાત્રે 09:26 PM થી શરૂ થઈને બીજા દિવસે, 21 સપ્ટેમ્બર, બુધવારે રાત્રે 11:34 PM પર સમાપ્ત થઈ રહી છે.

ઇન્દિરા એકાદશી 2022 પારણા સમય

જેઓ 21 સપ્ટેમ્બરે ઈન્દિરા એકાદશીનું વ્રત રાખે છે. તેઓએ 22 સપ્ટેમ્બરે એકાદશીનું વ્રત તોડવું જોઈએ. એકાદશી વ્રતના પારણા 22 સપ્ટેમ્બરે સવારે 6.09 થી 8.35 સુધી કરી શકાશે.

ઇન્દિરા એકાદશી વ્રતનું મહત્વ

ધાર્મિક માન્યતાઓ અનુસાર જો તમે પિતૃપક્ષમાં પિતૃઓનું શ્રાદ્ધ કોઈ કારણસર ન કરી શકો તો ઈન્દિરા એકાદશીનું વ્રત રાખો.  કારણકે ઈન્દિરા એકાદશીનું વ્રત પિતૃઓના શ્રાદ્ધ જેવું જ ફળ આપે છે અને તેનાથી પિતૃઓને મોક્ષ મળે છે. પિતૃઓ જન્મ અને મૃત્યુના બંધનમાંથી મુક્તિ મેળવે છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે નેશન ગુજરાત કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


Related Posts

Load more