કોણ છે ઓપરેશન સિંદૂરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા એ 5 ચહેરા ? એક ક્લિકમાં જાણો તેમના વિશે

By: Krunal Bhavsar
07 May, 2025

Operation Sindoor  key figures : ભારતે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરીને લીધો છે. 22 એપ્રિલના રોજ આતંકવાદીઓ દ્વારા 26 લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કર્યા. આ કાર્યવાહીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, NSA અજિત ડોભાલ, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

છેલ્લા ઘણા દિવસોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્મી ચીફ અને એર ચીફ સાથે બેઠકો કરી રહ્યા હતા. એક તરફ આખો દેશ ભારતની બદલો લેવાની કાર્યવાહીની રાહ જોઈ રહ્યો હતો. બીજી તરફ બુધવારે ભારતે પહેલગામ હુમલાનો બદલો લીધો. પીએમ મોદીએ દિલ્હી સ્થિત પ્રધાનમંત્રી નિવાસસ્થાનેથી સમગ્ર કામગીરી પર સીધી નજર રાખી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ તેમને દરેક ક્ષણે પરિસ્થિતિ વિશે માહિતગાર રાખતા રહ્યા. આ કામગીરી સેના, વાયુસેના અને નૌકાદળના ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલનમાં હાથ ધરવામાં આવી હતી.


Related Posts

Load more