નારીશક્તિ વંદન અધિનિયમ મારી બહેનોનાં સપનાં પૂરાં થવાની ગેરંટી છે. -PM MODI

By: nationgujarat
26 Sep, 2023

પીએમ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે મંગળવારના રોજ અમદાવાદ ઓરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. જ્યા ગુજસેલ પાર્કિંગ ગ્રાઉન્ડ ખાતે નારીશક્તિ વંદન કાર્યક્રમમાં કેસરી સાફા અને ખેસ સાથે મહિલાઓ​​ પીએમને આવકારવા મોટી સંખ્યામાં ઊમટી પડી હતી​​​​​ હતી. મહિલાઓ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. જીપમાં પીએમ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટિલ ઉપસ્થિત રહ્યા હતા. મહિલા અનામત અંગે બિલ પસાર થતા મહિલાઓ પીએમનું અભિવાદન કરવા એરપોર્ટ ખાતે પહોંચી હતી. પીએમ મોદીએ એરપોર્ટ પર સભા સ્થળ સુધી ખુલ્લી જીપમાં મહિલા કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલ્યું હતું. સ્ટેજ પર મહિલાઓ સાથે પીએમ મોદી, પાટીલ અને CM ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીનું CM ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, અમદાવાદના મેયર અને મહિલા ધારાસભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

PM મોદીએ મહિલાઓનું સંબોધન કર્યું
તમામ માતા-બહેનોને નમન કરતાં મોદીએ કહ્યું, માતા-બહેનોના આશીર્વાદ મળે એનાથી મોટું સૌભાગ્ય શું હોય, અહીં આવ્યા અગાઉ હું આખો દિવસ યુવાઓ સાથે જોડાયેલા કાર્યક્રમમાં હાજર હતો. આજે મને તમારા બધાનાં મોઢાં પર ખુશી જોવા મળી રહી છે, તમે તમારા ભાઈ અને દીકરાને જે કામ માટે વિશ્વાસ કરી મોકલ્યો એ કામ કર્યું. આ સપનું વર્ષો અગાઉ ગુજરાતની ધરતીથી આપણે જોયું હતું, આજે એ સંકલ્પ સાથે હું આવ્યો છું. હંમેશની જેમ રક્ષાબંધન પર તમારી ઘણી રાખડીઓ મળી હતી, અમારા ત્યાં રાખડીના બદલામાં ભેટ આપવાનો રિવાજ છે. મેં પહેલેથી ગિફ્ટ તૈયારી કરી દીધી હતી, પરંતુ પહેલાં તો કહેવાય નહિ. નારીશક્તિ વંદન અધિનિયમ મારી બહેનોનાં સપનાં પૂરાં થવાની ગેરંટી છે. વિકસિત ભારતની ગેરંટી છે, મહિલાઓ હશે તો દેશને આગળ વધતા કોઈ રોકી નહીં શકે, હું તમને બધાને બિલ પાસ થવાની શુભેચ્છા આપું છું.
ડેરીક્ષેત્રમાં 35 લાખથી વધુ મહિલાઓ છે
તેમણે વધુમાં જણાવતાં કહ્યું, બહેન, દીકરીઓ તમે જાણો છો કે આઝાદી પછી નારીશક્તિ સાથે ન્યાય નથી થયો, કોઈનો એક હાથ કે પગ બાંધો તો તમે એનાથી શું આશા રાખી શકો. દેશ આ રીતે જ વિકાસ ના કરી શકે, મહિલા અધિકારોની વાત પર રાજકીય બહાનાં બનાવવામાં આવતાં હતાં, ગુજરાતમાં અમે મહિલાઓ માટે અનેક અભિયાન ચલાવ્યાં, મહિલાઓ સૌથી વધુ પ્રભાવિત થઈ, સામાજિક સ્થળ પર બહેન-દીકરીઓ માટે કન્યા કેળવણી અભિયાન ચલાવ્યું. મેયર, ડે મેયર, સ્ટેન્ડિંગ અને પક્ષના નેતા તમામમાંથી એક સ્થાન મહિલાને આપ્યું, દલિત અને આદિવાસી સમાજને પણ અમે પદ આપ્યું છે. ગુજરાતમાં અમે જેન્ડર બજેટનો પ્રયોગ કર્યો, મહિલાઓ માટે રોજગારી વધી, મહિલાઓ માટે સરકારી યોજના બનાવી, મહિલાઓ માટે મહિલા વિકાસ કલ્યાણ વિભાગની રચના કરી, ડેરીક્ષેત્રમાં 35 લાખથી વધુ મહિલાઓ છે. આજે લાખો મહિલાઓ વન વિકાસમાં યોગદાન આપી રહી છે. ગુજરાતમાં 2.5 લાખથી વધુ સખી મંડળ કાર્યરત છે, ગર્ભવતી માતાઓને પોષણ મળે એ માટે કામ કર્યું છે. આટલું કહી વડાપ્રધાને એમની વાણીને વિરામ આપ્યો હતો.
CM ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું?
CM ભૂપેન્દ્ર પટેલે સભાને સંબોધતાં કહ્યું હતું કે, નીતિ સાફ, નિયત નેક હોય તો સારાં કામ થાય છે, મોદી સાહેબે નીતિથી કામ કર્યું છે. ટ્રિપલ તલાક, 370 અને હવે અનામત ત્રણેય નિર્ણય તેમના કાર્યકાળમાં થયા છે. અમૃતકાળમાં સૌના પ્રયાસથી ભારતને વિકસિત કરવાનું આ પગલું છે. લોકતંત્રમાં મહિલાઓની ભાગીદારી વધે એ માટેનું કમિટમેન્ટ પૂરું થયું છે.

Related Posts

Load more