શાહરૂખ ખાન લોકોનો ઉપયોગ કરે છે આ ગાયક કાલકારે કર્યો છે આક્ષેપ

By: nationgujarat
28 Nov, 2023

શાહરૂખ ખાન બોલિવૂડના ટોચના કલાકારોમાંથી એક છે. તેણે ફિલ્મોમાં અનેક અલગ-અલગ પાત્રો ભજવ્યા છે અને પોતાની અલગ ઓળખ બનાવી છે. શાહરૂખ ખાને તેની અત્યાર સુધીની કારકિર્દીમાં ઘણા કલાકારો અને ગાયકો સાથે કામ કર્યું છે. ગાયક અભિજીત ભટ્ટાચાર્ય તેમાંથી એક છે.

અભિજીત ભટ્ટાચાર્યએ તેમની ઘણી ફિલ્મોમાં શાહરૂખને પોતાનો અવાજ આપ્યો હતો. ફિલ્મ ‘અંજામ’નું ‘બડી મુશ્કિલ હૈ’, ફિલ્મ ‘યસ બોસ’નું ‘મૈં કોઈ ઐસા ગીત ગાઉં’ અને ફિલ્મ ‘મૈં હું ના’નું ‘તુમ્હે જો મૈંને દેખા’ જેવા ગીતો અભિજીતે ગાયા હતા. ફિલ્મ ‘બિલ્લુ’ એ છેલ્લી ફિલ્મ હતી જેમાં ગાયકે શાહરૂખ ખાનને પોતાનો અવાજ આપ્યો હતો. હવે એક ઈન્ટરવ્યુમાં અભિજીત ભટ્ટાચાર્યએ શાહરૂખ ખાન વિશે વાત કરી છે.

અભિજીતે લહરે રેટ્રો સાથેની વાતચીતમાં કહ્યું કે તેની અને શાહરૂખ ખાનની વ્યક્તિત્વ એકબીજાથી સંપૂર્ણપણે અલગ છે. ગાયકે સુપરસ્ટારની પ્રશંસા કરી અને તેને સેલ્ફ મેડ મેન કહ્યો. તેણે કહ્યું કે શાહરૂખમાં સેલ્ફ રિસ્પેકટ અને આત્મવિશ્વાસ બંને છે. અભિજીતના મતે આ ગુણ તેની અંદર પણ છે. તેણે કહ્યું, ‘અમારી પાસે ઇંગો નથી, પણ આત્મસન્માન છે.’

સિંગરે કહ્યું કે તેણે તેની અને શાહરૂખ ખાન વચ્ચેના વ્યક્તિત્વના તફાવતોને દૂર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં. તેણે એમ પણ કહ્યું કે શાહરૂખ ખાન ખૂબ જ સેલ્ફિસ વ્યક્તિ છે, જે અન્ય લોકોનો ઉપયોગ કરે છે અને તેની સફળતાના માર્ગમાં કોઈને આવવા દેતો નથી.

અભિજીત ભટ્ટાચાર્યએ કહ્યું, ‘જોકે તેમને એન્ટી નેશનલ કહેવું ખોટું રેહશે. ઘણા લોકોએ આ કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ શાહરુખ ખાનથી મોટો રાષ્ટ્રવાદી કોઈ નથી. તેમના દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મો જુઓ, ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, ‘સ્વદેશ’, ‘અશોકા’… તેમના પર આવા આરોપ કેવી રીતે લગાવી શકાય.’

વર્ષ 2016 માં, તે અભિજીત ભટ્ટાચાર્ય હતો જેણે શાહરૂખ ખાન, સલમાન ખાન અને કરણ જોહર સહિત અન્ય સ્ટાર્સને ન કહેવા જેવુ પણ કહી ઠપકો આપ્યો હતો. તેનું કારણ પાકિસ્તાની કલાકારોને તેમનું કામ આપવાનું હતું. તે સમયે ઉરીમાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે આવા ફિલ્મ નિર્માતાઓ રાષ્ટ્ર વિરોધી છે, જેઓ પાકિસ્તાની કલાકારોને કામ આપી રહ્યા છે.


Related Posts

Load more