Ram Mandir: અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર 96 ટકા બનીને તૈયાર થઈ ગયું છે. માનવામાં આવી રહ્યું છે કે, જૂન સુધી મંદિર સંપૂર્ણ રીતે બનીને તૈયાર થઈ જશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટની મણિરામ દાસ છાવણીમાં આયોજિત બેઠક બાદ મહામંત્રી ચંપત રાયે જાણકારી આપી હતી કે, મંદિરમાં અત્યાર સુધી 2150 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે અને ટ્રસ્ટે જીએસટી સહિત 396 કરોડ રૂપિયા ટેક્સ રૂપે સરકારને આપ્યા છે.
રવિવારે (16 માર્ચ) શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની બેઠક મહંત નૃત્ય ગોપાલ દાસની અધ્યક્ષતામાં થઈ હતી. તેમાં 7 ટ્રસ્ટી અને 4 વિશેષ આમંત્રિત સભ્ય પણ હાજર રહ્યાં હતાં. 4 ન્યાસી કેશવ પરાશરણ, વિમલેન્દ્ર મોહન મિશ્ર, યુગપુરૂષ પરમાનંદ, નૃપેન્દ્ર મિશ્ર ઓનલાઈન બેઠકમાં હાજર રહ્યા હતાં. બેઠકમાં 12 ટ્રસ્ટી ઉપસ્થિત રહ્યા હતાં અને 2 ટ્રસ્ટી ગેરહાજર રહ્યા હતાં. ટ્રસ્ટી કામેશ્વર ચૌપાલની મૃત્યુના કારણે તેમનું સ્થાન ખાલી હતું. મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ અને ટ્રસ્ટી કામેશ્વર ચૌપાલને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.
ચંપત રાયે આપ્યો હિસાબ
આ બેઠકમાં મંદિર પર થયેલાં ખર્ચ અને રામ મંદિર નિર્માણ પ્રગતિ પર ટ્રસ્ટીઓએ ચર્ચા કરી હતી. મહામંત્રી ચંપત રાયે જણાવ્યું કે, 5 ફેબ્રુઆરી 2020માં ટ્રસ્ટનું ગઠન થયું હતું. 28 ફેબ્રુઆરી, 2025 સુધી 5 વર્ષમાં ટ્રસ્ટના એકાઉન્ટથી સરકારની વિભિન્ન એજન્સીઓને 396 કરોડ ચૂકવવામાં આવ્યા છે. જીએસટી 272 કરોડ, ટીડીએસ 39 કરોડ, લેબર સેસ 14 કરોડ, ઈએસઆઈ 7.4 કરોડ, વીમામાં 4 કરોડ, જન્મભૂમિના નકશા માટે અયોધ્યા વિકાસ સત્તામંડળને 5 કરોડ, અયોધ્યામાં જમીન ખરીદી પર 29 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી, 10 કરોડ વીજળી બિલ, 14.9 કરોડ રૉયલ્ટી રૂપે સરકારને આપવામાં આવ્યા છે, તેમાં પથ્થરની રૉયલ્ટી રાજસ્થાન સરકાર, કર્ણાટક સરકાર, મધ્ય પ્રદેશ સરકાર અને યુપી સરકારને આપવામાં આવી છે.
5 વર્ષમાં કુલ 2150 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. નિર્માણ કાર્યની જમીન પણ ખરીદવામાં આવી છે. ખાસ વાત એ છે કે, આ સહયોગ ટ્રસ્ટને સમાજમાંથી મળ્યો છે પરંતુ, સરકારની કોઈપણ આર્થિક મદદ નથી લેવામાં આવી. વોટર ટેક્સ હજુ સુધી આપવામાં નથી આવ્યો કારણ કે, નિગમમાંથી પાણી લેવામાં નથી આવતું. રાજકીય નિર્માણ નિગમ યુપીને 200 કરોડ આપવામાં આવી રહ્યા છે, જેમાં રામકથા સંગ્રહાલય, વિશ્રામગૃહ, 70 એકડની ચારેબાજુ ત્રણ દ્વારનું નિર્માણ થઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ સમગ્ર દેશમાં કાળઝાળ ગરમીમાં જ વીજળીની ભયંકર અછત વર્તાશે, NLDCનો ડરામણો રિપોર્ટ
944 ચાંદી ભેટમાં મળી
5 વર્ષોમાં સમાજે 944 કિલો ચાંદી આપી છે. સરકારી એજન્સી ટકસાલે જણાવ્યું કે, દાનમાં મળેલી ચાંદી 92 ટકા શુદ્ધ છે જેને 20 કિલોની ઈંટના રૂપે પરિવર્તિત કરવામાં આવી છે. ERP સિસ્ટમને બે વર્ષોમાં ડેવલપ કરવામાં આવી, જે ખર્ચનું પારદર્શી ડિજિટલ પ્લેટફોર્મ છે. જૂનમાં મંદિર નિર્માણ પૂર્ણ થશે. પરકોટા ઓક્ટોબર સુધી, શબરી, નિષાદ, ઋષિઓના 7 મંદિરમાં મે મહિના સુધીમાં કામ પૂરૂ થઈ જશે. શેષાવતારનું કામ ઓગષ્ટ સુધીમાં પૂર્ણ થશે. ચાંદીની શુદ્ધતાની તપાસ સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મીટિંગ કોર્પોરેશન ઈન્ડિયા લિ. દ્વારા કરવામાં આવી રહી છે. આખી ચાંદીને ઓગાળીને 20-20 કિલો ઈંટોમાં પરિવર્તિત કરવામાં આવી છે.
મંદિરનું 96 ટકા કામ પૂરૂ
મંદિરનું 96 ટકા કામ પૂરૂ થઈ ગયું છે. સપ્ત મંદિર 96 ટકા, પરકોટા 60 ટકા પૂરુ થઈ ગયું છે. રામનવમીના દિવસે સંત તુલસી દાસની પ્રતિમાનું અનાવરણ થશે. અન્ય મંદિરની મૂર્તિઓને 30 એપ્રિલ અક્ષય નવમી સુધી સ્થાપિત થશે પરંતુ, પૂજન પ્રાણ પ્રતિષ્ઠા માટે અલગ બેઠકમાં નક્કી થશે. તીર્થ યાત્રીઓને આવાસ ઉપલબ્ધ કરાવવાના હેતુ દાન દાતાનો સહયોગ કરવામાં આવશે જેમાં તેમનો પથ્થર લગાવવામાં આવશે.
અંગત ટીલા પ્રાંગણમાં અન્ન ક્ષેત્રની શરૂઆત થશે. ભગવાનના વસ્ત્ર, પુષ્પ, આરતી ભોગ, ફૂલ બંગલામાં સમાજની ભાગીદારી હશે. રામનવમીના આયોજન પર વાલ્મીકિ રામાયણ, રામચરિત માનવસનું પાઠન થશે અને એક લાખ દુર્ગા પૂજન મંત્રની આહુતિ આપવામાં આવશે. સૂર્ય તિલક રામનવમીના દિવસે બપોરે 12 વાગ્યે 4 મિનિટ સુધી રામલલાના લલાટ પર હશે.
ભગવાનને ઘરેણાં, મુગટ, જવેરાત મળે છે. 5 વર્ષોમાં મંદિરને વિદેશથી દાન મળ્યું છે. L&t ના નિર્માણ માટે 1200 કરોડ રૂપિયા મળ્યા છે. આચાર્ય સત્યેન્દ્ર દાસના અવસાન બાદ મુખ્ય પૂજારીનું પદ સમાપ્ત થઈ ગયું છે. બેઠકમાં જાણકારી આપવામાં આવી છે કે મંદિર નિર્માણ 96 ટકા પૂર્ણ થઈ ગયું છે. જૂન 2025 સુધી બાકીનું કામ પૂર્ણ થવાની સંભાવના છે.