એશિયા કપ માટે ટીમની જાહેરાત જાણો કોને મળ્યુ સ્થાન

By: nationgujarat
21 Aug, 2023

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એશિયા કપ 2023 માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. 16 સભ્યોની ટીમની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે. કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર ટીમમાં પરત ફર્યા છે. તે જ સમયે, શુભમન ગિલ ટીમનો ભાગ નથી. સંજુ સેમસનને બેકઅપ તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમ એશિયા કપમાં પોતાની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે રમશે. આ મેચ શ્રીલંકાના કેન્ડીમાં પાકિસ્તાન સામે થશે. આ પછી ભારત 4 સપ્ટેમ્બરે નેપાળ સામે બીજી ગ્રુપ મેચ રમશે. એશિયા કપમાં ભારત, પાકિસ્તાન અને નેપાળ એક જ ગ્રુપ-એમાં છે. જણાવી દઈએ કે એશિયા કપ પાકિસ્તાનની યજમાનીમાં હાઈબ્રિડ મોડલના આધારે રમાઈ રહ્યો છે.

ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા(વાઇસ કેપ્ટેન), રવીન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, ઈશાન કિશન (વિકેટકીપર), અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, સૂર્યકુમાર ,કુલદીપ યાદવ , તિલક વર્મા, પ્રખ્યાત કૃષ્ણા, સંજુ સેમસન (રિઝર્વ વિકેટકીપર

એશિયા કપમાં ફાઈનલ સહિત કુલ 13 મેચ છે. તેમાંથી 4 મેચ પાકિસ્તાનમાં યોજાશે. જ્યારે ફાઈનલ સહિત બાકીની 9 મેચો શ્રીલંકામાં રમાશે. જો ભારતીય ટીમ ફાઈનલ સુધીનો પ્રવાસ કરશે તો તે ટુર્નામેન્ટમાં કુલ 6 મેચ રમશે. આ વખતે એશિયા કપ ODI ફોર્મેટમાં થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં વર્લ્ડ કપની દૃષ્ટિએ આટલી બધી મેચ રમવી ટીમ માટે સારું રહેશે.


Related Posts

Load more