આવતીકાલે સોરઠના 3,819 વિદ્યાર્થીઓ NEET આપશે, 14 કેન્દ્રો પર આખરી તૈયારીઓ પૂર્ણ

By: nationgujarat
03 May, 2025

નાગઢ: આવતીકાલે બપોરે 2 થી 5 વાગ્યા સુધી નીટ (NEET)ની પરીક્ષાનું આયોજન સેન્ટ્રલ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સોરઠના તમામ પરીક્ષા કેન્દ્રો પર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રોમાં વિશેષ વિદ્યાર્થીલક્ષી સુવિધાઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેથી મુક્ત અને શાંત વાતાવરણમાં પ્રત્યેક વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે.

NEETની પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ: આવતી કાલે સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓની કારકિર્દીલક્ષી NEETની પરીક્ષાનું આયોજન થયું છે. સોરઠમાં તમામ પ્રકારની તૈયારીઓ કે જેમાં પરીક્ષા કેન્દ્રથી લઈને વિદ્યાર્થીલક્ષી સુવિધાઓ અને દૂરના ગામથી આવતા પરીક્ષાર્થીઓને જૂનાગઢ અને સોમનાથ શહેરના પૂર્ણ વિસ્તારોમાં પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

ખૂબ જ સ્વસ્થ વાતાવરણમાં તમામ પરીક્ષાર્થીઓ પોતાની કારકિર્દીની મહત્વપૂર્ણ ગણાતી આ પરીક્ષા એકદમ શાંત ચિત્તે અને સ્વસ્થ્ય વાતાવરણમાં આપી શકે તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં પરીક્ષા કેન્દ્રની નજીક પ્રતિબંધાત્મક આદેશ અને વિદ્યાર્થી લક્ષી સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

સોરઠના 14 પરીક્ષા કેન્દ્ર પર 3,819 પરીક્ષાર્થીઓ: આવતીકાલે આયોજિત થનાર NEETની પરીક્ષામાં જૂનાગઢ અને સોમનાથના મળીને કુલ 14 પરીક્ષાર્થી પરીક્ષા કેન્દ્ર પર 3,819 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષાઓ આપશે. પરીક્ષા કેન્દ્રોમાં ડે. કલેકટર કક્ષાના અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે જેનું સેન્ટ્રલ નિરીક્ષણ જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવશે.

જિલ્લો પરીક્ષા કેન્દ્ર પરીક્ષાર્થી
જૂનાગઢ 9 2,472
સોમનાથ 5 1,347
કુલ 14 3,819

પરીક્ષા કેન્દ્રની આસપાસ પ્રતિબંધાત્મક આદેશ: પરીક્ષા કેન્દ્રની આસપાસ સવારે 10:00 વાગ્યાથી લઈને સાંજના 5:00 વાગ્યા સુધી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધાત્મક આદેશ જાહેર કરવામાં આવ્યા છે.

  • પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રિજ્યામાં ઝેરોક્ષ ફેક્સ અને સ્કેનર મશીનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ
  • પરીક્ષા કેન્દ્રની નજીક લાઉડ સ્પીકર બેન્ડવાજા અને 4 થી વધારે વ્યક્તિઓએ એકઠા થવું નહીં
  • પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્રની અંદર તેમના મોબાઈલ અને કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈ જવા પર પ્રતિબંધ
  • પરીક્ષા કેન્દ્રની અંદર શુદ્ધ પીવાનું પાણી, વીજળીનો પુરવઠો, આકસ્મિક સ્થિતિમાં એમ્બ્યુલન્સની સાથે તમામ પરીક્ષા કેન્દ્રમાં આરોગ્ય કર્મચારીના સ્ટાફ નિયુક્ત, જેથી પરીક્ષા સમય દરમિયાન કોઈ પણ તબીબી સવલતોની જરૂરિયાત ઊભી થાય તો તે આરોગ્ય કર્મીઓ દ્વારા પૂરી પાડી શકાય
  • દૂરથી પરીક્ષા કેન્દ્રો પર આવતા પરીક્ષાર્થીઓ માટે રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. જે સવારે 10:00 વાગ્યે એસટી ડેપોથી રવાના થશે અને સાંજે 5:00 વાગ્યે પરીક્ષા પૂર્ણ થયા બાદ તરત ડેપો પર ફરશે

Related Posts

Load more