વિધાનસભા ચૂંટણી પહેલા અધિકારીઓની બદલીઓનો દોર પણ શરૂ કરવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે સેવા બજાવી ચૂકેલા બંછાનીધી પાનીની બદલી કરવામાં આવી છે. તેમની બદલી વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકે કરવામાં આવી છે. જયારે તેમના સ્થાને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે મુકવામાં આવ્યા છે. બંછાનીધી પાનીએ સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે શ્રેષ્ઠતમ કામગીરી કરી હતી જેમાં ખાસ કરીને કોરોના સમયમાં યોગ્ય વ્યૂહ રચનાના આધારે પરિસ્થિતિ પર કાબુ મેળવવા સહીત સુરતના અનેક મોટા પ્રોજેકટોને પૂર્ણતાની કક્ષાએ લઇ જવાનો સમાવેશ થાય છે. ટ્રિપલ T, સ્વચ્છતા સર્વેક્ષણ, પાલ ઉમરા બ્રિજ, કેબલ સ્ટેઇડ બ્રિજ, ઈંસ્ફ્રસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટના પ્રોજેક્ટ માટે બંછાનીધી પાનીએ સુરતને હમેશા અગ્રેસર રાખ્યું છે.